ઉત્તરપ્રદેશમાં દિવંગત અધિકારીની બદલી : ડીજીપીએ માગી માફી
લખનઉ : ઉત્તરપ્રદેશ પોલીસે શુક્રવારે ડીએસપી સ્તરના અમૂક અધિકારીઓની બદલીની યાદી જારી કરી હતી. સામાન્ય રીતે આ બદલીની એક સામાન્ય યાદી જેવી જ હતી પણ તેમાં એક મોટી ભુલ થઇ હતી. હકીકતમાં યાદીમાં ૧૯મા ક્રમમાં જે ડીએસપી સત્યનારાયણ સિંહની બદલી કરવામાં આવી હતી, તો તેઓનું ઘણા સમય પહેલા જ નિધન થઇ ચૂકયું છે. સત્ય નારાયણસિંહ આ અગાઉ ડીએસપી (એલઆઇયૂ) અયોધ્યાના પદ ઉપર બદલી પામ્યા હતા.
જયારે નવી યાદીમાં બદલીના ઓર્ડરને રદ કરવામાં કહેવામાં આવ્યું હતુે જો કે ભુલ સામે આવતાની સાથે જ પોલીસ મહેકમમાં હડંકપ મચ્યો હતો. અને ડીજીપી ઓપી સિંહે પોતે સામે આવીને માફી માગી હતી. ડીજીપીએ ટવીટર મારફતે કહ્યું હતું કે ડીએસપીની ટ્રાન્સફર યાદીમાં સ્વર્ગીય નારાયણસિંહનું નામ આવ્યું તે દુઃખની વાત છે. આ ભુલને માફ કરી શકાય તેમ નથી અને આ અંગે કાર્યવાહી થશે.