News of Tuesday, 12th November 2019
ઓમાનની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર ભારે વરસાદના કારણે ૬ કામદારોનું કરૂણ મોતઃ મૃતકો ભારતીય મૂળના હોવાનું અનુમાનઃ મસ્કત ખાતેના ભારતીય દૂતાવાસ દ્વારા ઓળખ મેળવવાનું ચાલુ
મસ્કતઃ ઓમાનમાં પાણીની પાઇપ લાઇન ખોદવાના પ્રોજેકટ દરમિયાન ૧૦ નવેં.ના રોજ ભારે વરસાદના કારણે ભારતીય મૂળના ૬ કામદારોનું મોત નિપજ્યું હોવાનું અનુમાન ચે. તેવું મસ્તક ખાતેના ભારતીય દૂતાવાસએ જણાવ્યું છે.
આ મૃતકોની ઓળખ કરવાની બાકી છે. જે માટે દૂતાવાસના અધિકારીઓ સતત ઓમાન સરકારના સંપર્કમાં છે. કયા સંજોગોમાં આ કામદારોનું મોત થયું તેની તપાસ ચાલુ છે.
(8:10 pm IST)