News of Tuesday, 12th November 2019
26/11 હુમલામાં મોતને ભેટેલા કુબેર બોટના માલિકના પરિવારને વર્ષો બાદ 5 લાખની સહાયની ચેક અપાયો
મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃતક માછીમાર રમેશભાઈ બામણીયાના પત્ની જશીબેનને સહાયનો ચેક અપાયો
અમદાવાદ : 26 નવેમ્બર 2011ના રોજ આતંકવાદીઓએ મુંબઈમાં જે હુમલો કર્યો હતો તે હુમલામાં કરતા પહેલા તેઓ કુબેર બોટનો ઉપયોગ કરીને મુંબઈ આવ્યા હતા.
કુબેરબોટ જે માછીમારની હતી તે માછીમારને 5 લાખની સહાય આપવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃતક માછીમાર રમેશભાઈ બામણીયાના પત્ની જશીબેન ઉનાને મામલતદારે 5 લાખની સહાયનો ચેક આપ્યો છે.
(7:18 pm IST)