પંજાબઃ એક મહિલા સહિત ૨ ખાલિસ્તાની આંતકીની ધરપકડ
આ બંને આતંકી હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડી રહ્યા હતા
લુધિયાણા,તા.૧૨:પંજાબ પોલીસની ઓપરેશન શાખાએ એક મહિલા સહિત ૨ ખાલિસ્તાની આતંકવાદીને પકડ્યા હોવાનો દાવો કર્યો હતો. આ મહિલા લુધિયાણામાં નર્સ તરીકે કામ કરતી હતી. બીજી અટકાયત ગુરદાસપુરમાં થઇ હતી. પોલીસે એવી માહિતી આપી હતી કે આ બંને ખાલિસ્તાની આતંકવાદીઓ હિન્દુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું દ્યડી રહ્યા હતા. ઉપરાંત પંજાબમાં નવેસર ખાલિસ્તાન તરફી આંદોલન શરૂ કરવાની તેમની યોજના હતી.
મહિલાની ઓળખ સુરીન્દર કૌર તરીકે અપાઇ હતી. એ ફરીદકોટની રહેવાસી છે અને લુધિયાણામાં એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. એના સાથીદારની ઓળખ લખબીર સિંદ્ય તરીકે અપાઇ હતી.
એ મૂળ હોશિયારપુરનો રહેવાસી છે અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. આ બંને સોશ્યલ મિડિયા દ્વારા એકમેકના દોસ્ત બન્યા હતા અને ફેસબુક ફ્રેન્ડ હતા. પંજાબ પોલીસની સાઇબર સેલ છેલ્લા થોડા સમયથી આ બંને પર નજર રાખી રહી હતી.