મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

ગુરૂ નાનકનો ઉપદેશ બધા ધર્મો માટે અનુકરણીય : આનંદીબેન

રાજકોટ  :  ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કાર્તિકી પૂર્ણિમા અને ગુરૂ નાનાક જયંતી નિમીતે સોૈને શુભકામના પાઠવતા જણાવેલ કે ગુરૂનાનકનો ઉપદેશ શીખ ધર્મ સાથે બધા ધર્મો માટે અનુકરણીય છે. તેમનો ઉપદેશ આપણને સમાજ ઉત્કર્ષ માટે પ્રેરિત કરે છે. આપણા દેશમાં બધા પર્વોનું વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે રાજય અને દેશના વિકાસમાં સહયોગ આપવો જોઇએ.

(3:24 pm IST)