મુખ્ય સમાચાર
News of Monday, 11th November 2019

આર્ટિકલ 370 હટાવાયા બાદ પહેલીવાર શ્રીનગરથી બારામૂલા વચ્ચે ટ્રેન સેવા શરૂ

સુરક્ષા સમીક્ષા બાદ શ્રીનગરથી બારામૂલા સુધી ટ્રાયલ રન દ્વારા શરૂ કરાઈ

 

શ્રીનગર : આર્ટિકલ 370 હટાવાયા બાદ ત્રણ મહિનાથી વધારે સમય સુધી બંધ રહ્યા બાદ રેલવેએ કાશ્મીરમાં એકવાર ફરી ટ્રેન સેવા શરૂ કરી છે

 . કલમ 370ને હટાવ્યા બાદ સોમવારે પહેલીવાર શ્રીનગરથી બારામૂલાની વચ્ચે ટ્રેન દોડી.રેલ સેવા બંધ હોવાના કારણે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. જોકે સુરક્ષા કારણોથી રેલ સેવાને બંધ રાખવો પડી છે.

   જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ થયા બાદ રેલવે અધિકારીઓએ સુરક્ષાની દ્રષ્ટિથી 5 ઓગસ્ટે જમ્મુના બાનિહાલથી ઉત્તરી કાશ્મીરના બારામૂલા સુધી ચાલનારી રેલ સેવાને બંધ કરી દીધી હતી.સોમવારે સુરક્ષા સમીક્ષા બાદ શ્રીનગરથી બારામૂલા સુધી આને એક ટ્રાયલ રન દ્વારા શરૂ કરવામાં આવી હતી

(12:33 am IST)