મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

કેજરીવાલના નિવાસસ્થાન બહાર દેખાવો કરી રહેલા ભાજપ સાંસદ ઇજાગ્રસ્ત થયા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં છઠ ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ લાદવામાં આવતાં મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શિત કરી રહેલા ભાજપના સાંસદ મનોજ તિવારીને ઇજાઓ થતા તેમને હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. મનોજ તિવારી અને ભાજપના નેતાઓ વિરોધ વ્યક્ત કરી રહ્ના હતા.

(4:39 pm IST)