મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

વિજય માલ્યાને લોન આપવાના પ્રકરણમાં અેસબીઆઇના પૂર્વ ચેરમેન ઓ.પી. ભટ્ટ સહિત ટોચના અધિકારીઓની ભૂમિકાની ચકાસણી કરાશે

નવી દિલ્હી:વિજય માલ્યાને એસબીઆઇ દ્વારા અપાયેલી લોનની તપાસમાં એસબીઆઇના ટોચના અધિકારીઓની ભૂમિકાની ચકાસણી કરશે. તેમાં એસબીઆઇના ભૂતપૂર્વ ચેરમેન ઓપી ભટ્ટ તથા ડઝનથી વધુ સિનિયર અધિકારીઓની કામગીરી પણ તપાસવામાં આવશે. કિંગફિશર એરલાઇન્સને અપાયેલી લોનના કૌભાંડમાં વિજય માલ્યા વોન્ટેડ છે અને સીબીઆઇ તેમને પ્રત્યાર્પણ દ્વારા યુકેથી ભારત લાવવા પ્રયાસ કરે છે.

તપાસથી વાકેફ સૂત્રોએ માહિતી આપી હતી. પી ભટ્ટ 2006થી 2011 વચ્ચે એસબીઆઇના ચેરમેન હતા. અન્ય અધિકારીઓ એસબીઆઇની બેંગલુરુ અને મુંબઈ બ્રાન્ચમાં કામ કરતા હતા અને ડેપ્યુટી મેનેજર, ગ્રૂપ એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ક્રેડિટ એનાલિસ્ટ, રિલેશનશિપ મેનેજર સહિતના હોદ્દા ધરાવતા હતા.

માલ્યાની કંપનીઓની નાણાકીય સ્થિતિ નબળી હોવા છતાં બેન્કોના કોન્સોર્ટિયમે કોઈફોરેન્સિક ઓડિટકર્યું હતું તેના કારણે શંકા પેદા થઈ છે. તપાસ પરથી જાણવા મળ્યું છે કે માલ્યાને માત્રવચનોઅનેકાલ્પનિક દાવાના આધારે લોન આપવામાં આવી હતી.

એજન્સીની ચાર્જશીટમાં માલ્યા તથા કિંગફિશર એરલાઇન્સના ટોચના અધિકારીઓએ જોઇન્ટ સેક્રેટરી, બેન્કિંગ અમિતાભ વર્માને મોકલેલા -મેઇલનો ઉલ્લેખ થાય તેવી શક્યતા છે. એજન્સીએ ગયા વર્ષે માલ્યા અને બીજા સામે આઇડીબીઆઇ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ઇટીએ સૌથી પહેલાં 1 ઓગસ્ટે અહેવાલ આપ્યો હતો કે ₹6,000 કરોડની લોનના સંદર્ભમાં સીબીઆઇ ચાર્જશીટ તૈયાર કરી રહી છે.

(6:14 pm IST)