News of Friday, 12th October 2018
ઉત્તર પ્રદેશમાં હનુમાન મંદિરના મહંતને હરામખોરોએ ગોળી મારી
લખનૌઃ અહિંના અલીગંજકમાં આવેલ હનુમાન મંદીરના મહંત અજય શંકર શુકલા (ઉ.વ.૫૦) ઉપર ગઇ મોડી રાત્રે તેઓ ચંદ્રીકાદેવી રહયા હતા. ત્યારે હુમલો કરી અજાણ્યા ગુંડાઓએ છાતીમાં ગોળી ધરવી દેતા તેમની સ્થિતિ ગંભીર છે. ગોળી આરપાર નીકળી ગયેલ અને લોહીના ખાબોચીયા ભરાયેલે તેઓ સડક ઉપર તરફડી રહયા હતા. ત્યારે રાહદારીઓ તેમને હોસ્પિટલે લઇ ગયેલ અને પોલીસને જાણ કરેલ હુમલાખોરો બાઇક ઉપર પલકારામાં નાસી છુટેલ.
(3:30 pm IST)