News of Thursday, 12th September 2019
યુએનના શાંતિ મિશનમાં સામેલ ભારતીય સેનાના અધિકારી છેલ્લા ૬ દિવસથી લાપતા
સંયુકત રાષ્ટ્ર (યુએન) ના શાંતિ મિશનમાં સામેલ અને આફ્રીકી દેશ ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કોંગોમાં તૈનાત ભારતીય સેનાના લેફટનન્ટ કર્નલ ગૌરવ સોલંકી શનિવાર ( ૭ સપ્ટેમ્બર) બપોરથી લાપતા છે.
લેફટનન્ટ કર્નલ સોલંકી અધિકારીઓના એક સમૂહ સાથે કયાકિંગમા આવેલ લેક કિવુ ગયા હતા. સોલંકીને શોધવા માટે રેસ્કયુ ઓપરેશન ચાલુ છે.
(12:30 am IST)