મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

UAEમાં રોજી રોટી રળવા ગયેલા ૨૦૦ ભારતીયો પગારથી વંચિતઃ ટુંક સમયમાં પ્રશ્ન હલ થઇ જશે તેવી ભારતીય દૂતાવાસની હૈયાધારણ

અબુ ધાબીઃ યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં રોજી રોટી રળવા ગયેલા ભારતના ૨૦૦ જેટલાં નાગરિકોને છેલ્લાં ઘણા સમયથી પગાર નહી મળતા તેઓ કફોડી હાલતમાં મુકાઇ ગયા છે. જેઓને ટુંક સમયમાં તેમનો ચડત પગાર ચૂકવવા તેમના માલિકો સંમત થઇ ગયા છે તેમજ માલિકો સંમત થઇ ગયા છે તેમજ તેઓના વીઝા પણ પરત સોંપી દેવાશે ઉપરાંત પણ વ્યવસ્થઆ કરી અપાશે તેવું અબુધાબી ખાતેના ભારતીય દૂતાવાસના  એક અધિકારી મહિલા સુશ્રી પૂજા વર્નેકરએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

 

(8:34 am IST)