મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

અમેરિકામાં મીડિયાનો એક વર્ગ કાશ્મીરનું સાચું ચિત્ર નથી દર્શાવતો : 370 મી કલમ દૂર કરવા અંગે ભારત વિરોધી નિવેદનો કરે છે : અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શૃંગલા

વોશિંગટન : અમેરિકામાં મીડિયાનો એક વર્ગ કાશ્મીરનું સાચું ચિત્ર નથી દર્શાવતો તથા 370 મી કલમ દૂર કરવા અંગે ભારત વિરોધી નિવેદનો કરે છે પરંતુ આ નિર્ણય લોકોનો છે.જેનાથી કાશ્મીરનો આર્થિક વિકાસ થશે તેમજ તેનાથી સ્થાનિક લોકોનું ભલું થશે.ઉપરાંત પાકિસ્તાની આતંકવાદ નાબૂદ થશે.

પી.ટી.આઇ સાથેના ઇન્ટરવ્યૂમાં અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શૃંગલાએ ઉપરોક્ત મંતવ્ય વ્યક્ત કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)