News of Wednesday, 12th September 2018
સર્જિકલ સ્ટ્રાઈક વખતે સૈનિકોએ કૂતરાઓને ભસતા અટકાવવા દીપડાના યુરિનનો ઉપયોગ કર્યો હતો
નવી દિલ્હી :ભારતીય સૈનિકોએ પાકિસ્તાનમાં ઘુસી બે વર્ષ પહેલા કરેલી સર્જિકલ સ્ટ્રાઈક વિશે વધુ એક રોચક માહિતી સામે આવી છે. સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભુમિકા ભજવનાર રાજેન્દ્ર નિંબોરકરે પૂના ખાતે એક કાર્યક્રમમાં સર્જિકલ સ્ટ્રાઈક વિશે જણાવતા કહ્યુ કે, પાકિસ્તાનની સરહદમાં 15 કિમી સુધી કુતરા ના ભસે તે માટે દીપડાના યુરિનનો ઉપયોગ કરાયો હતો.
(7:49 pm IST)