કોરોનાનાં લક્ષણો ધરાવતા આમંત્રિત લોકોએ સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજરી ટાળવી : દિલ્હી પોલિસ
દિલ્હી પોલિસ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે લાલકિલ્લા પર આયોજિત થનારા સ્વતંત્રતા દિવસ સમારોહ કોરોનાનાં લક્ષણો ધરાવતી વ્યક્તિઓએ આવવું નહીં. જો કાર્યક્રમાં 2 અઠવાડિયા પહેલા કોરોનાનાં કોઈ લક્ષણો દેખાય તો કાર્યક્રમનો ભાગ બનવાથી દૂર રહેવું.
પોલિસે આમંત્રિત લોકોને સમારોહ દરમિયાન ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશનોનું ફરજિયાતપણે પાલન કરવા વિનંતિ કરી છે. આ સમારોહ માટે 4000 જેટલા પોલિસકર્મીઓ ડ્યૂટી પર રહેશે.
સમારોહ દરમિયાન કોઈપણ વ્યક્તિને કેમેરા, દૂરબીન, રિમોટવાળી કારની ચાવીઓ, છત્રી, હેન્ડબેગ, બ્રીફકેસ, ટ્રાંઝિસ્ટર, સિગરેટ લાઈટર, ટિફિન બોક્સ, પાણીની બોટલ વગેરે જેવી વસ્તુઓને લાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
સ્વતંત્રતા દિવસ માટેની ફુલ ડ્રેસ રિહર્સલ ગુરૂવારે કરાશે. લાલકિલ્લા પર ભૂમિદળ, વાયુદળ અને નેવીના રક્ષાકર્મી માર્ચ કરશે. જ્યારે વડાપ્રધાન મોદી 74 માં સ્વતંત્રતા દિવસને સંબોધશે.