કોરોનાની ફૂંફાડો વધુ ખતરનાકઃ રાજકોટમાં આજે થયા ૧૬ના મોત
૧૪ દર્દીએ સિવિલ હોસ્પિટલમાં અને ૦૨ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો
રાજકોટઃ કોરોનાની મહામારીથી રાજકોટમાં દરરોજ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છેઃ આજે પણ ૧૬ દર્દી કોરોનાના ફૂંફાડાને કારણે કામયને માટે પોઢી ગયા છેઃ કોરોનાની સારવાર લઇ રહેલા જે દર્દીઓના મોત થયા છે તેમાં દલપતગીરી અનિરૂધ્ધગીરી ગોસ્વામી (ઉ.વ.૮૦-રહે. વાંકાનેર), ઋષિકેશભાઇ પ્રહલાદભાઇ બુચ (ઉ.વ.૭૧-રહે. રાજકોટ), લક્ષમણભાઇ નાનજીભાઇ કોરાટ (ઉ.વ.૬૪-રહે. બેકબોન પાર્ક-૭, રાજકોટ), મહાદેવભાઇ સંતારામ ઉતેગર (ઉ.વ.૬૦-રામનગર લોધેશ્વર-૭), છગનભાઇ ભીમાભાઇ કામરીયા (ઉ.વ.૫૫-રહે.માણાવદર), ધીરજલાલ ગણેશભાઇ મકવાણા (ઉ.વ.૭૨-પટેલનગર-૭, સોરઠીયાવાડી રાજકોટ), રાઘવજીભાઇ વલ્લભભાઇ હીરપરા (ઉ.વ.૬૫-રહે. ન્યુ ખોડિયારસોસાયટી સહકાર રોડ), હિમતભાઇ રણછોડભાઇ (ઉ.વ.૭૦-વૃંદાવન પાર્ક ઉપલેટા), ચંદ્રકાંતભાઇ પારેખ (ઉ.વ.૬૫-આરાધના સોસાયટી, એરપોર્ટ રોડ), અશોકભાઇ નરોત્તમભાઇ રાણીંગા (ઉ.વ.૬૫-રહે. પોરબંદર), શીવાભાઇ રણછોડભાઇ પરમાર (ઉ.વ.૭૪-રહે. ચુડા તા. લીંમડી), કિરીટભાઇ ભોગીલાલ મોદી (ઉ.વ.૭૯-રહે. યુનિવર્સિટી રોડ), ચંદ્રીકાબેન સુરેશભાઇ (ઉ.વ.૪૫-ખોડિયાર સોસાયટી રાજકોટ),ભગવાનભાઇ નાથાભાઇ (ઉ.વ.૬૬-રહે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ), રમણિકભાઇ મોહનભાઇ ધ્રુવ (ઉ.વ.૮૨-શ્યામ હોલ પાસે, રિપોર્ટ બાકી), બાબુભાઇ રવજીભાઇ સખીયા (ઉ.વ.૬૦-સંસ્કાર સીટી પાસે મવડી)નો સમાવેશ થાય છેઃ તે સાથે રવિ, સોમ, મંગળ અને આજે બુધવાર મળી ૪ દિવસનો મૃત્યુઆંક ૬૨ થઇ ગયો છે.