સ્વામિનારાયણ ગુરુકુલ ડલાસ દ્વારા રથયાત્રા ઉત્સવ ભારે ઉત્સાહ અને ધામધૂમથી 4 th જુલાઈના રોજ ઉજ્વાયો.: આશરે ૪૦૦ જેટલા ભાઈઓ - બહેનો અને બાળકો ભક્તિભાવ પૂર્વક ઉત્સવ માં જોડાયા
ટેક્સાસ : સવારે પૂજય ભગવત્ચરણ સ્વામી અને પૂજય મુકુંદપ્રિય સ્વામી એ શ્રીક્રુષ્ણ , બલરામ અને સુભદ્રાજીનું પૂજન કરી રથયાત્રા ની શરૂઆત કરી હતી .
ભાવિક ભક્તો જગન્નાથ ભગવાનની રથયાત્રા આગળ સેવક ભાવે રસ્તો વાળતા હતા , તો બીજા ભક્તો ભગવાનનો રથ ખેંચતા હતા .
કેટલાય હરિભક્તો મહિમા અને ભક્તિભર્યે હ્રદયે રસ્તા ઉપર દંડવત કરતા હતા .
રથયાત્રા દરમ્યાન શ્રીહરિની ચાર વખત આરતી થઈ હતી તથા મગનો પ્રસાદ હરિભક્તોને વહેંચવા માં આવ્યો હતો .
રથયાત્રા ના આ સમય દરમ્યાન ટેક્ષાસ - ડલાસમાં ઉનાળાનો સમય હોય છે. તેમ છતાં આવી ભારે ગરમીમાં બાલ - અબાલ સહું એ ખૂબ જ આનંદથી ઉત્સવ ઉજવ્યો . ભાઈઓની રથયાત્રા પૂર્ણ થયા પછી બહેનોએ
રથ ખેંચીને રથયાત્રામાં પોતાના મનોરથ પૂર્ણ કર્યા હતા .
અને આજના આ અષાઢી બીજના દિવસે ગુરુકૂળના સંસ્થાપક પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ પણ હતો એટલે હરિભક્તોનો આનંદ બેવડાઈ ગયો હતો .
રથયાત્રા પૂર્ણ થયા પછી ગુરુકૂળના પ્રાર્થના મંદિર માં સંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું . કિર્તનભક્તિ અને ભગવાનના પવિત્ર નામની ધૂન સાથે આ પ્રસંગની પૂર્ણાહુતિ થઈ હતી .
ત્યાર પછી બધા હરિભક્તો એ પૂરી - શાક બૂંદી અને છાશ નો પ્રસાદ આરોગ્યો હતો .
તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.