News of Thursday, 12th July 2018
હવે કારનો વીમો ઉતરાવવા પીયુસી સર્ટિફિકેટ આપવું ફરજિયાત કરાયું
નવી દિલ્હી :ભારતમાં કાર ઇન્શ્યોરન્સ કઢાવવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) નવા નિયમો જાહેર કર્યા છે. આ નિર્દેશ અનુસાર હવે તમે ત્યાં સુધી તમારા વાહનનો વીનો ઉતરાવી નહીં શકો જ્યાં સુધી તમારી પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર (PUC) ન હોય. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે આ પગલું સુપ્રીમ કોર્ટના આ મામલે આવેલ એક નિર્ણય બાદ લીધું છે.
(12:55 am IST)