News of Thursday, 12th July 2018
અમરનાથ યાત્રા : ૧૫ દિવસમાં ૧.૫ લાખ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા
જમ્મુ, તા.૧૨ : અમરનાથ યાત્રા માટે ૩૪૧૯ ભાવિકોનો જથ્થો ઘાટીમાંથી ગુફા તરફ રવાના થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે અઠવાડીયામાં ૧,૩૩,૦૦૦થી વધુ ભાવિકોએ બાબાના દર્શન કર્યા છે. વધુમાં તેમણે જણાવેલ કે ૨૮ જૂનથી શરૂ થયેલ. યાત્રા બાદ ૧,૩૩, ૪૮૧ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કરી લીધા છે. જયારે ગઈકાલે બુધવારે જ ૧૫,૬૯૬ ભાવિકો પહોંચ્યા હતા.
આ ઉપરાંત ૩૪૧૯ તીર્થયાત્રીઓ સાથે ૧૨૫ વાહનોનો કાફલો ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયેલ. આ કાફલામાં ૨૨૧૭ યાત્રીઓ પહેલગામ માટે જયારે ૧૨૦૨ ભાવિકોનો બીજો કાફલો બાલતાલ રવાના થયેલ. પવિત્ર અમરનાથ યાત્રા ૨૬ ઓગષ્ટે પૂર્ણ થશે.(૩૭.૮)
(11:36 am IST)