મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

બે ઇન્‍ડિયન અમેરિકન પત્રકારોને સુપ્રતિષ્‍ઠિત ‘‘જીરાલ્‍ડ લોએબ એવોર્ડ'': શ્રી અશ્વિન શેષાગિરીને બ્રેકીંગ ન્‍યુઝ તથા સુશ્રી સંધ્‍યા ખંભાપતિને લોકલ રિપોર્ટીગ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ સન્‍માનિત કરાયા

ન્‍યુયોર્કઃ અમેરિકામાંથી પ્રસિધ્‍ધ થતાં ન્‍યુયોર્ક ટાઇમ્‍સના ડેપ્‍યુટી એડિટર ઇન્‍ડિયન અમેરિકન શ્રી અશ્વિન શેષાગિરી તથા પ્રોપબ્‍લિકા ઇલિનોઇસના ડેટા રિપોર્ટર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સંધ્‍યા ખંભાપતિનો સમાવેશ ૨૦૧૮ની સાલના જીરાલ્‍ડ લોએબ એવોર્ડ વિજેતાઓમાં થયો છે. આ એવોર્ડ વિજેતાઓના નામોની ઘોષણાં ૨૫ જુન ૨૦૧૮ના રોજ ન્‍યુયોર્કમાં યોજાયેલા ડિનર સમારંભમાં થઇ હતી.

જર્નાલીઝમ ક્ષેત્રે સુપ્રતિષ્‍ઠીત ગણાંતો આ એવોર્ડ બિઝનેસ ફાઇનાન્‍સ, તથા ઇકોનોમિ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ આપવામાં આવે છે. શ્રી શેષાગિરિને આ એવોર્ડ બ્રેકીંગ ન્‍યુઝ કામગીરી માટે તથા સુશ્રી સંધ્‍યાને લોકલ રિપોર્ટીગ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ એનાયત કરાયો હતો.

(11:53 pm IST)