મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

દુબઇથી જયપુર જતી સ્પાઇસ જેટની ફલાઇટનુ ઇમરજન્સી લેન્ડીંગઃ ટાયર ફાટતા દોડધામ

નવી દિલ્હી : જયપુર એરપોર્ટ પર બુધાવારે સ્પાઇસ જેટની દુબઇથી જયપુર જઇ રહેલી ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું.  SG-૫૮ નંબરની આ ફલાઇટમાં ૧૮૯ મુસાફર હતા અને તમામને સલામત બહાર કાઢી લેવાયા હતા. એવું કહેવાય છે કે, વિમાનનું ટાયર ફાટી જવાના કારણે સવારે ૯-૦૩ કલાકે જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરવાની ફરજ પડી હતી.

જયપુર એરપોર્ટ પર બુધવારે સતત ચોથા દિવસે ચાર ફલાઇટ રદ્દ કરવામાં આવી છે. આમ, છેલ્લા ચાર દિવસમાં કુલ ૧૬ ફલાઇટ રદ્દ કરવામાંં આવી ચૂકી છે.

સુત્રોના અનુસાર એરલાઇન્સ પાસે છેલ્લા કેટલાક દિવસથી ક્રુ મેમ્બર્સની અછત છે. આ કારણે એરલાઇન્સને છેલ્લા ઘણા દિવસથી જૂદા-જૂદા રૂટ પર ચાલતી ફલાઇટને અચાનક રદ્દ કરવાની ફરજ પડી રહી છે. એરલાઇન્સના આવા નિર્ણયના કારણે લગભગ ૮૦૦ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

(6:04 pm IST)