News of Wednesday, 12th May 2021
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધીઃ ઈડીએ કેસ નોંધ્યો
મુંબઈઃ. પોલીસ દ્વારા વસુલીના આરોપમાં ઘેરાયેલ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈડીએ મંગળવારે દેશમુખ વિરૂદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈને મળેલ પુરાવાના આધારે આ કેસ નોંધાયો છે.
ઈડી દેશમુખ અને તેના પરિવારની આર્થીક લેવડ-દેવડની તપાસ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં આરોપ લગાડાયેલ છે કે દેશમુખે પોલીસને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની વસુલીનો ટાર્ગેટ આપેલ. બીજી તરફ એપીઆઈ સચિન વાઝેને પોલીસમાંથી સસ્પેન્ડ કરાયા છે.
(3:09 pm IST)