મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

હરિયાણામાં કોરોનાના કેસ વધતાં પંચકૂલા ડેપોમાં 5 મિની બસ એમ્બ્યુલન્સમાં ફેરવાઈ

દરેક મિની બસમાં ચાર બેડ અને બે ઓક્સિજન સિલિન્ડર :પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ પણ હશે.

હરિયાણામાં કોરોનાના કેસ વધતાં પંચકૂલા ડેપોમાં 5 મિની બસને એમ્બ્યુલન્સમાં ફેરવવાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ પંચકૂલા ડેપોના જનરલ મેનેજર વિનય કુમારે કહ્યુ, દરેક મિની બસમાં ચાર બેડ અને બે ઓક્સિજન સિલિન્ડર લગાવાયા છે. આ બસમાં પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ પણ હશે.

  આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હરિયાણામાં કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 1,08,997 છે. જ્યારે 5,25,345 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. હરિયાણામાં કોરોના કુલ 5910 લોકોને ભરખી ગયો છે.

(1:03 pm IST)