મુખ્ય સમાચાર
News of Sunday, 12th May 2019

પ્રિયંકા ગાંધીએ કહ્યું ,45 વર્ષ નહિ પરંતુ મોદીજીએ 50 કલાક તપસ્યા કરી હોત તો આ પ્રકારની નફરત યુકત વાત ના કરત

પીએમ મોદીએ કહ્યું હતું કે આ ઈમેજ બનાવવામાં 45 વર્ષની તપસ્યા લાગી છે.

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે એમની ઈમેજ ખાન માર્કેટ ક્લબ બગાડી રહી છે, પરંતુ એ કશુંય કરી શકશે નહીં. કેમ કે આ ઈમેજ બનાવવામાં 45 વર્ષની તપસ્યા લાગી છે. મોદીના આ નિવેદન સંદર્ભે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 45 વર્ષ નહીં, જો એમણે(મોદી) 50 કલાક પણ તપસ્યા કરી હોત, તો આ પ્રકારની નફરત-યુક્ત વાત કરતા ન હોત.

  પ્રિયંકા ગાંધીએ ભગવાન બુદ્ધની એક કહાની સંભળાવીને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, મેં આ ચૂંટણીમાં હકારાત્મક પ્રચાર કર્યો છે. એમણે(મોદી) ગુસ્સાની સાથે નફરતનો ઉપયોગ પોતાના પ્રચારમાં કર્યો છે.

(7:12 pm IST)