મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

શું મમતા દીદીનું ભાષણ હિંસા માટે જવાબદાર નથી ?:અમિતભાઇ

કોલકતા : ગૃહમંત્રી અમિતભાઇ શાહે કૂચબિહાર ફાયરીંગ ઘટનાને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે, શીતકૂચી બેઠક ઉપર મમતા દીદીએ થોડા દિવસ પહેલા ભાષણ આપેલ કે કેન્દ્રીય બળના જવાનો આવે તો તેને ઘેરી લો, તેમના ઉપર હુમલો કરો. હું દર્દીને પુછવા માંગીશ કે શું તમારૂ તે ભાષણ ચાર લોકોના મોત માટે જવાબદાર નથી. મૃત્યુમાં પણ તૃષ્ટીકરણ અને વોટ બેંકની રાજનીતિથી ખબર પડે છે કે બંગાળના રાજકારણને મમતા દીદીએ કેટલું નીચુ કરી દીધું એ તેનું ઉદાહરણ છે.

(3:13 pm IST)