News of Tuesday, 12th February 2019
ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો રદ
સોમવારના દિવસે ૩૨ ફ્લાઇટો રદ કરાઈ હતી
દિલ્હી, તા. ૧૨: પાયલોટોની કમીના પરિણામ સ્વરુપે ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો આજે રદ કરવામાં આવી હતી. યાત્રીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારના દિવસે ૩૨ ફ્લાઇટો રદ કરાઈ હતી. ફ્લાઇટો રદ થતાં યાત્રીઓને વધારે પૈસા ચુકવવા પડ્યા હતા.
(10:40 pm IST)