મુખ્ય સમાચાર
News of Tuesday, 12th January 2021

મધ્યપ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત

સુમાવલીના પહાવલી ગામમાં 3 અને બાગચીનના માનપુરના 7 લોકોના મોત : 7 બીમાર : એકની હાલત ગંભીર : ગ્વાલિયર લઇ જવાયો

ભોપાલ : મધ્યપ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત થયા છે. પોલીસ મુજબ, સુમાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના પહાવલી ગામમાં 3 અને બાગચીન વિસ્તારના માનપુર ગામમાં 7 લોકોની ઝેરી દારૂ પીવાથી મોત થઇ ગઈ છે

મધ્યપ્રદેશના મૂરેના 11 લોકોની દારૂ પીવાથી મોત થઇ ગઈ છે. બે અલગ અલગ ગામના કુલ 11 લોકોના મોત થયા છે . પોલીસ મુજબ, સુમાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના પહાવલી ગામમાં 3 અને બાગચીન વિસ્તારના માનપુર ગામમાં 7 લોકોની ઝેરી દારૂ પીવાથી મોત થઇ ગઈ છે, ત્યાં જ 7 બીમાર છે, જેમાં એકની હાલત ગંભીર છે . જેને ગ્વાલિયર લઇ જવામાં આવ્યો છે.

(11:29 am IST)