મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

પાકિસ્‍તાનમાં પંજાબ ગવર્નરના જનસંપર્ક અધિકારી તરીકે શીખ નાગરિક શ્રી પવનસિંહ અરોડાની નિમણુંકઃ લાહોર ગવર્નર ભવનના ઇતિહાસની સૌપ્રથમ ઘટના

ઇસ્‍લામાબાદઃ પાકિસતાનના પંજાબના ગવર્નર ચૌધરી મહમ્‍મદ સરવરએ પોતાના જનસંપર્ક અધિકારી તરીકે શીખ નાગરિક પવનસિંહ અરોડાની નિમણુંક કરી છે.

લાહોર સ્‍થિત ગવર્નર ભવનના ઇતિહાસમાં કોઇ શીખ નાગરિકને જનસંપર્ક અધિકારીનો હોદો અપાયો હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.

શ્રી પવનસિંહ આ નિમણુંક મેળવ્‍યા પહેલા નનકાના સાહેબ જીલ્લાના સૂચના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

(9:24 pm IST)