મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

નવી મિત્રતાની વચ્ચે હવે મુલાયમ ગાયબ થયા છે

ગઠબંધનને લઈને અમરસિંહની ટકોર

લખનૌ,તા. ૧૨ : લોકસભા ચુંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની તૈયારીઓમાં લાગેલી છે. સમાજ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને લઈને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ગઠબંધનને લઈને હવે અમરસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોઈ સમયે સમાજવાદી પાર્ટીના સભ્ય રહેલા અમરસિંહે આજે કહ્યું હતું કે માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે મિત્રતામાં મુલાયમસિંહ ગુમ થઈ ગયા છે. આ ગઠબંધનને લઈને મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીના નજીકના સાથી રહી ચુકેલા અમરસિંહે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે મુલાયમસિંહ યાદવ હવે કોઈ રીતે સક્રિય દેખાઈ રહ્યા નથી. અમરસિંહે ગઠબંધન પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના સ્થાપક તરીકે મુલાયમસિંહ રહેશે પરંતુ નવા પગલાંથી મુલાયમસિંહને દુર રખાયા છે. બેનરોમાં માયાવતી, મુલાયમ અને અખિલેશને એક સાથે દર્શાવાયા નથી. ગઠબંધન માયાવતી અને અખિલેશ વચ્ચે છે. ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમરસિંહે સ્પષ્ટપણે પ્રતિક્રિયા આપી હતી.

(7:33 pm IST)