કોંગ્રેસ અયોધ્યા પ્રશ્નનો ઉકેલ ઈચ્છતી નથીઃ વિકાસમાં અડચણો ઉભી કરવાનું કામ કરે છેઃ નફરતનું રાજકારણ રમે છેઃ વિરોધ કરવા સિવાય બીજું કામ કરતી નથીઃ મોદીએ ભાજપની બેઠકને કર્યુ સંબોધનઃ વિપક્ષ પર પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે ભાજપની રાષ્ટ્રીય પરિષદને કર્યુ સંબોધનઃ કોંગ્રેસ સહિતના વિપક્ષો પર તીખા તમતમતા પ્રહારોઃ કોંગ્રેસે વકીલોના માધ્યમથી અયોધ્યાનો મામલો લટકાવ્યોઃ કોંગ્રેસ અયોધ્યાના પ્રશ્નનો ઉકેલ ઈચ્છતી નથીઃ કોંગ્રેસે વિકાસમાં અડચણો ઉભી કરવાનું કામ કર્યુઃ નફરતનું રાજકારણ રમે છેઃ એક માત્ર વિરોધ જ કર્યા રાખવાનુ કામ કર્યુઃ કોંગ્રેસનો વિરોધ કરનારા આજે તેની સાથે આવ્યાઃ સૌને પોતપોતાની ખીચડી પકાવવી છેઃ મતદારોને છેતરવા પ્રયાસ કરી રહ્યા છેઃ પોતાની ભલાઈ માટે સૌ એકઠા થયા છેઃ ભારત આજે એક મજબુત સરકાર ઈચ્છે છેઃ જ્યારે વિપક્ષો ભેગા મળીને એક મજબુર સરકાર ઉભી કરવા માગે છેઃ તેઓ એક જ કામ કરે છે અને તે છે મારો વિરોધઃ મોદીએ કહ્યુ હતુ કે, અમે ખેડૂતોને હજુ વધુ સક્ષમ બનાવવા માગીએ છીએઃ દેશનું નિર્માણ કરવા માંગીએ છીએઃ તેમણે પોતાના પ્રવચન દરમ્યાન પોતાના સાડા ચાર વર્ષના કાર્યકાળનો હિસાબ કિતાબ આપ્યો હતો અને વિવિધ યોજનાઓની માહિતી આપી હતીઃ તેમણે કહ્યુ હતુ કે, દેશને જો કોઈ ઉંચાઈ પર લઈ જવા માંગતુ હોય તો તે ભાજપ જ છેઃ અગાઉની સરકારોએ દેશને અંધકારમા નાખી દીધો હતોઃ તેમણે ભાજપના કાર્યકરો-નેતાઓ સૌને એક સાથે મળી ભાજપની સરકાર લાવવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો