મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

કુંભ મેળો:' ખોવાયેલા અને મળેલા' લોકો માટે ૧૫ જેટલા સ્ટોલ લગાવાયા અને મોબાઈલ એપ પણ બનાવાઈ

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજના કુંભના મેળામાં લાખો લોકો ઉમટી પડશે કુંભના મેળામાં ખોવાઈ ગયાના ઘણા કિસ્સા બનતા હોય છે દેશભરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહી ઉમટી પડે છે. ભીડના લીધે ઘણા લોકો પરિવારથી છુટા પડી જાય છે.

 આ સમસ્યાના નિવારણ અર્થે ૧૫ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. ખોવાયેલા અને મળેલા લોકો માટે કુંભના મેળામાં ૧૫ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મોબાઈલ એપ પણ બનાવવામાં આવી છે.

(1:21 pm IST)