અરવિંદ કેજરીવાલ સાથે અભિનેતા પ્રકાશ રાજની મુલાકાત : દિલ્હીમાં સરકારની કામગીરીના વખાણ
આમ આદમી પાર્ટી ચૂંટણીમાં પ્રકાશ રાજને સમર્થન આપી શકે
નવી દિલ્હી :અભિનેતા પ્રકાશ રાજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી . પ્રકાશ રાજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ઘરે પહોંચ્યા અને તેમની સાથે બેઠક કરીહતી આવનારી લોકસભા ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલા પ્રકાશ રાજની આ મુલાકાત તેમની ઈલેક્શન તૈયારીઓ અંગે થઇ છે. પ્રકાશ રાજે આ મુલાકાત અંગે ટવિટ કરીને તેની જાણકારી આપી હતી
પ્રકાશ રાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને રાજનીતિમાં આવવા માટે અભિનંદન આપ્યું. તેમની ટીમે જે રીતે અગત્યના મુદ્દાઓ પર કામ કર્યું છે તેના વિશે જાણકારી લીધી. પ્રકાશ રાજ આગળ પણ દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરીના વખાણ કરી ચુક્યા છે. હાલમાં જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા સાથે પણ પ્રકાશ રાજ મંચ શેર કરી ચુક્યા છે.
પ્રકાશ રાજે હાલમાં જ રાજનીતિમાં આવવાનું એલાન કર્યું છે. તેઓ બેંગ્લોર સેન્ટ્રલથી નિર્દલીય લોકસભા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ પ્રકાશ રાજના ચૂંટણી લડવાનું સ્વાગત કરતા કહ્યું છે કે આવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. આમ આદમી પાર્ટી અહીં પ્રકાશ રાજને સમર્થન આપી શકે છે.