News of Friday, 11th January 2019
જમ્મુ કાશ્મીર : સેના પર હુમલો, બે જવાન શહીદ
બ્લાસ્ટમાં મેજર શહીદ થયા
શ્રીનગર, તા. ૧૧: અંકુશરેખા નજીક રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સાંજે પાકિસ્તાન તરફથી ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના મેજર સહિત બે જવાનો શહીદ થયા હતા અને અન્ય બે જવાનો ઘાયલ થયા છે. સરહદ ઉપર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યા બાદ આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં મેજર અને અન્ય કેટલાક જવાન ફસાઈ ગયા હતા. આ હુમલાને પાકિસ્તાની રેન્જર્સની બોર્ડર એક્શન ટીમે અંજામ આપ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં આ બીજો હુમલો કરાયો છે. બ્લાસ્ટથી ભારે નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
(9:55 pm IST)