શિવરાજસિંહ ચૌહાણ, રમણસિંહ, વસુંધરા રાજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા
નવી દિલ્હી તા. ૧૧ : બીજેપીમાં સંગઠન સ્તર ઉપર મોટો ફેરફાર સામે આવ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા આ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજેપીએ ત્રણ રાજયોના પૂર્વ મુખ્યમંત્રીને સંગઠનમાં મોટી જવાબદારી આપી છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના પૂર્વ સીએમ ડો. રમન સિંહ અને રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને બીજેપીએ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.
ત્રણેય રાજયોમાં મુખ્યમંત્રીઓની ખુરશી સંભાળનાર ત્રણેય નેતાને સંગઠનમાં આટલી મોટી જવાબદારી આપવી બીજેપીની ચૂંટણી રણનિતીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. કારણ કે ત્રણેય નેતા ઘણા અનુભવી છે અને રાજય સરકાર ચલાવવાના દરેક દાવથી પરિચિત છે.
શિવરાજ સિંહ ચૌહાણ સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકયા છે. છત્ત્।ીસગઢના રમન સિંહ પણ સતત ત્રણ વખત રાજયના સીએમ રહ્યા છે. વસુંધરા રાજે પણ રાજસ્થાનમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂકી છે.