મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

બેંક ઓફ બરોડાને અલગઅલગ સમયગાળા માટેની લોનના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી

મુંબઈ : ટોચની બેંક તરફથી સસ્તી લોન આપવાની નવી જાહેરાત કરવામાં આવી છે. સરકારી ક્ષેત્રની બેંક ઓફ બરોડાને અલગઅલગ સમયગાળા માટેની લોનના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી છે. આમાં હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તા વ્યાજદરે મળી શકશે. બેંકે marginal cost of funds-based lending rates (MCLR)માં 0.20 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ નવા દર 12 ડિસેમ્બર, 2019ના દિવસે અમલમાં મુકાશે.

ભારતીય રિઝર્વ બેન્કએ હાલમાં પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજ દર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનાથી સસ્તી લોનમાં આંચકો લાગ્યો છે. આરબીઆઇનું કહેવું છે મોનેટરી પોલિસી કમિટી (MPC)ના તમામ સભ્યો વ્યાજ દરમાં ઘટાડાના પક્ષમાં ન હતા એટલા મટે કોઇ ફેરફાર કરવામાં નથી.

આ પહેલાં સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ MCLRમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેન્કે MCLR રેટમાં 10 બેઝ પોઇન્ટમાં ઘટાડો કર્યો છે. આ નિયમ 10 સપ્ટેમ્બરથી લાગુ કરાઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019-20માં અત્યાર સુધી MCLRના દરોમાં પાંચ વખત ઘટાડો આવી ચુક્યો છે.

(4:56 pm IST)