News of Wednesday, 11th December 2019
મનોહર જોષીના ભાજપ-શિવસેના સાથે આવવાના નિવેદન બાદ હોબાળો :શિવસેનાએ કર્યો ખુલાસો
શિવસેનાએ કહ્યું નિવેદનમાં પાર્ટીને કંઈ લેવાદેવા નથી
મુંબઈ : શિવસેનાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ મનોહર જોશીના નિવેદનની પાર્ટીએ સ્પષ્ટતા કરી છે. શિવસેના નેતા નીલમ ગોરે કહ્યું છે કે મનોહર જોશીએ નિવેદન આપ્યું છેકે શિવસેના અને ભાજપ ટૂંક સમયમાં એક સાથે આવશે, તે તેમનું વ્યક્તિગત નિવેદન છે. શિવસેનાનું સત્તાવાર વલણ, નેતાઓમાં આવી ભાવનાઓ સ્વાભાવિક છે, પરંતુ આ નિવેદનમાં પાર્ટીને કંઈ લેવાદેવા નથી
અત્રે ઉલેલ્ખનીય છે કે એક દિવસ પહેલા મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે જો ભાજપ અને શિવસેના સાથે હોત તો સારું થાત અને મને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં શિવસેના અને ભાજપ એક સાથે આવી શકે છે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે યોગ્ય સમયે નિર્ણય કરશે.
(12:53 pm IST)