મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

હાઈકોર્ટના ન્યાયધીશોની છ મહિનામાં નિમણુંક કરવા સુપ્રીમકોર્ટની તાકીદ

હાઈકોર્ટોમાં ૧૦૭૯ ન્યાયમૂર્તિઓની જગ્યા સામે ૪૧૦ જગ્યાઓ ખાલી

નવી દિલ્હી : દેશના ન્યાયધીશોની ખાલી જગ્યાઓ તાકીદે ભરવા સુપ્રીમકોર્ટે તાકીદ કરી છે કેન્દ્ર સરકારની દેશના મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી સમિતિએ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓનાં ૧૦૦ જેટલા નામો મહિનાઓ પહેલા મોકલીને ૪૦ટકા જેટલી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે સુપ્રિમ કોર્ટે સરકારને આ સુચી છ મહિનામાં જ બહાલ કરીદેવાની તાકીદ કરી છે.

સુપ્રિમકોર્ટની સંયુકત ખંડપીઠના ન્યાયમૂર્તિ સંજય કિશનકોલ અને કેએમજોસેફે એ મુદાની નોંધ લીધી છે કેસુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયધીશોની પ્રક્રિયા માટે કોઈપણ સમય અવધી જ નથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ બંધારણની રીતે આપવામા આવેલી સતા અને તમામ સહયોગી પરિબળોને આ પ્રક્રિયા સમયઅવધિમાં પૂરી કરવાની વ્યવસ્થા કરવાની તાતી જરૂર છે.

અદાલતોમાં ન્યાયમૂર્તિઓની નિમણુંક માટે સંસદને અગાઉથી છ મહિના અને ત્યાર પછી અઠવાડીયાની અવધિમાં રાજયપાલ કે મુખ્યમંત્રીને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણુંક માટેની ભલાભણોને કેન્દ્રીય કાયદામંત્રીઓને મોકલી દેવી જોઈએ ત્યાર પછીની પ્રક્રિયામાં ચાર અઠવાડીયામાં સુપ્રીમકોર્ટના કોલેજીયમે આ પ્રક્રિયા પરિ કરી લેવી જોઈએ સુપ્રીમ કોર્યનાં કોલેજીયમ દ્વારા ન્યાયમૂર્તિઓનાં નામની યાદી તૈયાર કર્યા બાદ કાયદા મંત્રાલયે વડાપ્રધાનના અભિપ્રાય માટે ૩ અઠવાડીયામાં મૂકવામાં આવે છે. ત્યાર પછી તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે જો સરકાર આ નામોની યાદી પાછી મોકલે તો નિમણુંકોમાં ભારે વિલંબ થાય છે. સુપ્રિમ કોર્ટે અને હાઈકોર્ટના કોલેજીયમની સહમતી ન મળી હોય તો નિમણુંકો સમયસર થતી નથી પરંતુ એકવાર કોલેજીયમ નામની યાદીને બહાલી આપી દીધા બાદ સરકારે કોઈપણ પ્રકારનાં વિલંબ વગરા તાત્કાલીક નિર્ણયે લઈ લેવા જોઈએ તેમ છતા એક મમલાઓમાં હાઈકોર્ટના કોલેજીયમ સુપ્રિમકોર્ટના કોલેજીયમ સાથે સંકલન કરીને સરકારે વધુમાં વધુ છ મહિનાનો સમય લઈને આ પ્રક્રિયા પુરી કરી લેવી જોઈએ આનો મતલબ એ નથી કે કોઈ પણ રીતે મામલો છ મહિના સુધી પૂરો ન થાય. દેશમાં ન્યાયમૂર્તિઓની સંખ્યાના આંકડા જોઈએ તો ૧૦૭૯ ન્યાયમૂર્તિઓની હાઈકોર્ટમાં જગ્યાઓ છે. તેની સામે ૬૬૯ કાર્યરત છે. અને અનુક્રમે ૪૧૦ જગ્યાઓ ખાલી છે. અને ૨૧૩ની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે.

 સુપ્રિમ કોર્ટની કોલેજીયમ દ્વારા હાઈકોર્ટ કોલેજીયમમાંથી ૧૯૭ જગ્યાઓ ભરવા માટેની નામાવલી ચાલી છે. સુપ્રિમ કોર્ટે એ વાત પણ જણાવી હતી કે ૨૧૩ ન્યાયમૂર્તિઓની જગ્યાઓ ભરવા માટે નામોની યાદી મંજૂરીના વાંકે પેડીંગ રહી છે.સુપ્રીમ કોર્ટે કોલેજીયમે આ અંગે એર્ટની જનરલ કે.કે.વેણુગોપાલને તાકીદ કરી છે કે કયારે અને કેવી રીતે સંબંધીત સતાવાળાઓ આ પ્રક્રિયાને પૂરી કરશે આ વિગતોથી એ વાતની ખબર પડે કે આ પ્રક્રિયાક યારે પરી થશે.વળી અદાલતે એ વાતની પણ નોંધ લીધી હતી. કે ૨૦૧૯ની હાઈકોર્ટના માત્ર ૬૫ ન્યાયમૂર્તિઓનીજ નિમણુંક થઈ હતી આ માટે ૨૦૧૭માં ૧૧૫ નામોની યાદી તૈયાર થઈ હતી. ત્યાર પછી ૨૦૧૮માં ૧૦૮ની નિમણુંક થઈ હતી.

દેશમાં ન્યાયમૂર્તિઓની સંખ્યાના આંકડા જોઈએ તો ૧૦૭૯ ન્યાયમૂર્તિઓની હાઈકોર્ટમાં જગ્યાઓ છે. તેની સામે ૬૬૯ કાર્યરત છે. અને અનુક્રમે ૪૧૦ જગ્યાઓ ખાલી છે. અને ૨૧૩ની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે.

ન્યાયમૂર્તિઓની ખાલી જગ્યાઓને કારણે અદાલતોમાં કેસોનો ભરાવો થઈ જાય છે. હાઈકોર્ટે અને અપેક્ષ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની ધીમી ભરતીનાં કારણે નીચલી અદાલતોથી આવતી અપિલોનો ભરાવો થઈ જાય છે. અને હાઈકોર્ટમાં સમય મર્યાદામાં કેસના નિકાલ માટેની પ્રક્રિયા ધીરી પડી જાય છે.

(12:49 pm IST)