News of Wednesday, 11th December 2019
જમ્મુ-કાશ્મીરમાં પૂંછ સરહદે પાકિસ્તાનનો તોપમારો : એક ભારતીય નાગરિક ઘાયલ
ભારતીય સેનાએ સામે ફાયરિંગ કરીને પાકિસ્તાની સેનાને જવાબ આપ્યો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પૂંછ સરહદ પર રાતના સમયે પાકિસ્તાન સેનાએ તોપમારો કર્યો હતો, જેમાં એક ભારતીય નાગરિક ઘાયલ થયો છે,જેને હોસ્પિટલ ખસેડાવમાં આવ્યો છે. શાહપુર કિરની વિસ્તારમાં પાકે તોપમારો કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જો કે ભારતીય સેનાએ પણ સામે ફાયરિંગ કરીને પાકિસ્તાની સેનાને જવાબ આપ્યો છે.
કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કર્યા પછી પાકિસ્તાન સરહદ પર તંગદીલી ફેલાવી રહ્યું છે, પાક સૈનિકો દ્વારા સતત સરહદ પર સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, ફાયરિંગની આડમાં તેઓ ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યાં છે, જેમાં ભારતીય સેનાએ કેટલાક આતંકીઓને ઠાર પણ કરી દીધા છે.
(12:13 pm IST)