News of Wednesday, 11th December 2019
દિલ્લીની હવા પહેલેથી જ મારી રહી છે તો આવામાં સજા-એ મોત કેમ ? નિર્ભયા કેસના દોષી
નિર્ભયા ગેંગરેપ - હત્યા કેસના ચાર આરોપીઓમાંથી એક અક્ષય ઠાકુરએ ફાંસી વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમા દાખલ કરેલ પુર્નવિચાર અરજીમાં કહ્યું છે કે વાયુ,જળ પ્રદુષણને કારણે દિલ્લીમાં જીવન પહેલેથી જ ટુંકુ રહ્યુ છે. આમા સજાએ મોત કેમ ?
એમણે કહ્યું જયારે કોઇ વ્યકિત જીવનની કડવી સચ્ચાઇઓમાંથી પસાર થાય છે તો તે એક લાશથી વધારે કાંઇ નથી. અક્ષયના વકીલનો દાવો છે કે તે ઘટનાની રાત્રે દિલ્લીમાં ન હતો. અક્ષયએ પહેલા પુર્નવિચાર અરજી દાખલ કરી ન હતી.
(12:00 am IST)