મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિકતા સંશોધન બિલ વિષે ટીકા કરવાનો અમેરિકાના ધાર્મિક સ્વાતંત્ર્ય આયોગને કોઇ અધિકાર નથીઃ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમાર

ન્યુદિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ અંગે ટીકા કરનાર અમેરિકાના આંતર રાષ્ટ્રિય ધાર્મિક સ્વતંત્રતા આયોગની અવગણના કરવા વિદેશી મંત્રાલયના પ્રવકતા રવિશકુમારએ જણાવ્યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે આ આયોગ અમારા મામલામા ંહસ્તક્ષેય ન કરે. તેમની ટીકા પૂર્યગ્રહ પ્રેરિત છે. તેઓએ આ અગાઉ પણ બિન જરૂરી હસ્તક્ષેય કર્યા છે તેમને અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેત્ર કરવાનો કોઇ અધિકાર નથી. તેમ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)