છત્તીસગઢમાં લોકતંત્રનો વિજય: ભ્રષ્ટ અધિકારીઓની જમાતનો પરાજયઃ બુથ રણનીતિથી કર્યું કામ : કોંગ્રેસ
રાયપુરઃ છત્તીસગઢમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત હાંસલ કરી છે.છત્તીસગઢ કોંગ્રેસના પ્રેસિડેન્ટ ભૂપેશ બઘેલે આ જીતને લોકતંત્રની જીત ગણાવી છે.ભાજપ પર આકરા પ્રહારો કરતાં બધેલે કહ્યું કે સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓની જમાત હતી અને એમની પાસે ઘણા પૈસા હતા. છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસનું સૂખું આજે ખતમ થઈ ચૂક્યું છે.
જીત બાદ કરેલ પ્રેસ કોન્ફરન્સમાં બધેલ સાથે છત્તીસગઢ ચૂંટણી પ્રભારી પીએલ પુનિયા પણ હાજર હતા. લોકતંત્રની જીત ગણાવતા બધેલે રાહુલ ગાંધી અને રાજ્યની જનતાને વધામણી આપી છે. ચૂંટણી મેદાન જીતવાનો ઉલ્લેખ કરતા બધેલે પોતાની રણનીતિ પર કહ્યું કે એમણે દરેક બૂથ પર રણનીતિ અને કામ કર્યાં હતાં. એમણે પુનિયાને આભાર માનતા કહ્યું કે તેમણે નેતૃત્વ કરી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવવાનું કામ કર્યું છે