News of Tuesday, 11th December 2018
ઉર્જીત પટેલની અધ્યક્ષતામાં આરબીઆઇએ નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી હતી એમની ખોટ સાલશે : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઇ ગવર્નર ઉર્જીત પટેલના રાજીનામા પછી કહ્યુ કે એમની આગેવાનીમાં આરબીઆઇએ નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી હતી. એમણે કહ્યું કે પટેલ બેન્કીંગ વ્યવસ્થાને અરાજકતાથી અનુશાસન તરફ લાવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પટેલ પોતાની પાછળ એક મહાન વિરાસત છોડી ગયા છે અને એમની કમી જરૂર દેખાશે.
(12:00 am IST)