મુખ્ય સમાચાર
News of Friday, 11th October 2019

પાકિસ્તાનમાં બંદુકની અણીએ શીખ યુવતીના અપહરણ વિરૂધ્ધ કરાયેલી ફરિયાદ રદ કરતું પોલીસ ડીપાર્ટમેન્ટ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નનકાના સાહિબમાં વસતા શીખ પરિવારની ૧૯ વર્ષીય યુવતિનું અપહરણ કરી ફરજીયાત ધર્માતર દ્વારા લગ્ન કરાવી નાખ્યા હોવા અંગે તેના ભાઇ મનમોહન સિંહે ૨૯ ઓગ.૨૦૧૯ના રોજ FIR નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ અમુક લોકોએ બંદુકની અણીએ તેની બહેન જગજીત કૌરનું અપહરણ કરી આયેશા બીબી નામ રાખી દેવામાં આવ્યું છે.

આ ફરિયાદના કારણે યુવતિને આશ્રય ગૃહમાં રાખવામાં આવી હતી. બાદમાં અપહ્રત યુવતિ અને તેના પતિ મહમ્મદ હસનએ આપેલી કોર્ટમાં જુબાનીને ધ્યાને લઇ પોસીલી ફરિયાદ રદ કરવામાં આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:10 pm IST)