News of Wednesday, 11th September 2019
ઝારખંડ વહીવટી તંત્રના દબાણમાં હત્યાની ધારા હટીઃ સીબીઆઇ તપાસ કરે : તબરેજની પત્નીની માંગ
ઝારખંડના તબરેજ અંસારી લિચિંગ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓ પર લાગેલ હત્યાની ધારા હટાવવા પર તબરેજની પત્ની એસ. પરવીન એ કહ્યું છે કે પ્રશાસનિક દબાવને લઇ આવું થયુ છે.
એમણે કહ્યું કે દોષીઓને બચાવવાની કોશિષ થઇ રહી છે. પરવીનએ માંગ કરી છે કે મામલાની સીબીઆઇ દ્વારા તપાસ થવી જોઇએ.
(11:43 pm IST)