માંએ પડખુ ફેરવ્યું અને શ્વાસ રૃંધાતા ૩ મહિનાની બાળકીનું દબાવાથી મોત
ઉત્તરપ્રદેશના આગરાના બાહ્ય ક્ષેત્રમાં એક પરેશાન કરનારી ઘટના સામે આવી છેઃ અહીના ગામ મલૌનીમાં સ્તનપાન કરાવતી વખતે માંને ઉંઘ આવી ગઇ હતી અને તે પડખુ ફરતા તેની નીચે આવીને ત્રણ મહિનાના બાળકે જીવ ગુમાવ્યો હતોઃ માનવ મનને ઝકઝોરી નાખનારી આ દુર્ઘટના બાદમાં પોતે પણ વાત સાંભળીને બેભાન થઇ ગઇ હતી, સમગ્ર ગામ તથા પરિવારનાં લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું
આગરા, તા.૧૧: ઉત્ત્।રપ્રદેશના આગરાના બાહ્ય ક્ષેત્રમાં એક પરેશાન કરનારી ઘટના સામે આવી છે. અહીના ગામ મલૌનીમાં સ્તનપાન કરાવતી વખતે માંને ઉંઘ આવી ગઇ હતી અને તે પડખુ ફરતા તેની નીચે આવીને ત્રણ મહિનાના બાળકનો જીવ ગુમાવ્યો હતો. માનવ મનને ઝકઝોરી નાખનારી આ દુર્દ્યટના બાદ માં પોતે પણ વાત સાંભળીને બેભાન થઇ ગઇ હતી. સમગ્ર ગામ તથા પરિવારનાં લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટના બાદ ક્ષેત્રનાં થાના ખેડા રાઠોરનાં માલોની ગામના નિવાસી ભારત સિંહે અહીં સોમવારે થઇ. અહીં ભારતસિંહની પત્નિ સરિતા પોતાનાં ત્રણ મહિનાનાં પુત્રને સ્તનપાન કરાવી રહી હતી. આ દરમિયાન તેમને ઉંઘ આવી ગઇ હતી. ઉંઘમાં જ તેણે પડખું ફેરવ્યું તો માસુમ પુત્ર તેમની નીચે દબાઇ ગયા. દબાયેલા બાળકોનાં શ્વાસ અટકી ગયા હતા. આંખ ખુલી ત્યારે પુત્રનાં શરીરમાં કોઇ હલચલ ન જોઇ સરિતા ગભરાઇ ગઇ હતી. તેણે ઘરનાં લોકોને આ અંગે માહિતી આપી હતી. પરિવારનાં બાળકોથી માંડીને સીએચસી હાથ પર પહોંચ્યા જયાં ચેકઅપ કર્યા બાદ ડોકટરે તેને મૃત જાહેર કરી દીધું હતા. દુર્ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.ગામમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. માતાની સ્થિતી પણ હાલ ગંભીર છે. માતા આઘાતનાં કારણે બેભાન થઇ ગઇ હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.