પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત લથડી :રાજનાથસિંહ એમ્સ પહોંચ્યા
કિડનીમાં સંક્રમણ, છાતીમાં સંકલન અને યૂરિનની સમસ્યાના કારણે તેમને દાખલ કરાયા છે
નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાંબા સમયથી દિલ્હીની એમ્સમાં દાખલ છે. વાજપેયીની તબિયત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ એમ્સ પહોંચ્યા હતા 93 વર્ષના વાજપેયીને 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કિડનીમાં સંક્રમણ, છાતીમાં સંકલન અને યૂરિનની સમસ્યાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયી ભારતના 10માં વડાપ્રધાન હતા અને 1998થી 2004 વચ્ચે વડાપ્રધાનના રૂપમાં કાર્યરત હતા. તેઓ વડાપ્રધાનના રૂપમાં 5 વર્ષ પૂરા કરનાર પ્રથમ ગેર-કોંગ્રેસી વડાપ્રધાન હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલા એક મહીનામાં વડાપ્રધાન મળવા પીએમ મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બીજેપી નેતા લાલ કૃષ્ણ અડવાણી જેવા મોટા દિગ્ગજો તેમની તબિયત પૂછવા માટે પહોંચ્યા હતા.---