News of Saturday, 11th August 2018
હવે NRI પ્રોકસી વોટીંગ કરી શકશેઃ ભારતમાં યોજાતી ચૂંટણીઓમાં પોતાના અધિકૃત પ્રતિનિધિ મારફત મતદાન કરી શકશેઃ લોકસભામાં બિલ મંજુર
ન્યુ દિલ્હીઃ વિદશોમાં વસતા ભારતીયો પોતાના પ્રતિનિધી મારફત પ્રોકસી વોટીંગ કરાવી શકશે. તે બિલને ગઇકાલ ૯ ઓગ. ર૦૧૮ ના રોજ લોકસભાએ મંજુર કરી દીધુ છે. તેથી હવે ભારતમાં યોજાતી ચૂંટણીઓ સમયે NRI એ મતદાન કરવા માટે રૂબરૂ આવવાની જરૂર નહી પડે. તે પ્રોકસી વોટીંગ એટલ કે પોતાના અધિકૃત પ્રતિનિધિ મારફત મત આપી શકશે. તેવું લો મિનીસ્ટર રવિશંકર પ્રસાદે જણાવ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વિદેશોમાં વસતા ભારતીયોની સંખ્યા ૩ કરોડ ૧ં૦ લાખ જેટલી થવા જાય છે.
(9:21 pm IST)