ભારતના પરાજયથી સમગ્ર દેશ દુઃખી :પાકિસ્તાનમાં ખુશી: ઈમરાનના મંત્રીએ કહ્યું આજથી નવી મોહબબત ન્યુઝીલેન્ડ
કેટલાય લોકોએ લખ્યું કે, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનનો બદલો લીધો છે.
ઈંગ્લેન્ડના માનચેસ્ટરમાં રમાયેલ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો.છે સમગ્ર દેશમાં નિરાશાનો માહોલ છવાયો છે દરેક ભારતીયોનું સપનું તૂટી ગયું હતું. સમગ્ર દેશ દુખમાં ડૂબી ગયો હતો,ત્યારે પાકિસ્તાનમાં ખુશીનો માહોલ છવાયો છે ઈમરાન ખાનના મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ટ્વીટ કરીને લખ્યું કે, આજેથી પાકિસ્તાનીઓની નવી મોહબ્બત ન્યુઝીલેન્ડ
ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું અને પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું. અને એ જ વાતનો ગુસ્સો પાકિસ્તાન નીકાળી રહ્યું છે ફક્ત પાકિસ્તાનના મંત્રી જ નહીં, પણ પાકિસ્તાની ફેન્સ પણ સોશિયલ મીડિયામાં ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરવામાં લાગ્યા છે
. કેટલાય લોકોએ લખ્યું કે, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનનો બદલો લીધો છે. ટીમ ઈન્ડિયાને કારણે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થયું હતું, અને હવે ભારતનું સપનું તૂટી ગયું છે.