ભાવેણાના કારડીયા રાજપૂત સમાજનો જવાન દિલીપસિંહ ડોડીયા કાશ્મીરના અખનૂર ક્ષેત્રમાં શહીદ :પાર્થિવદેહ વતન કાનપર લવાશે ;શુક્રવારે અંતિમયાત્રા
કારડીયા રાજપૂત સમાજના શહીદ જવાન દિલીપસિંહ ત્રણ બહેનોમાં એકના એક ભાઈ હતા :આઠ વર્ષથી આર્મીમાં જોડાયેલ ;સંતાનમાં ચાર વર્ષની પુત્રી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વીર જવાન દિલીપસિંહ વિરસંગભાઈ ડોડીયા કશ્મીરના અખનૂર ક્ષેત્રમાં ફરજ દરમિયાન શહીદ થયા છે.
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં કાનપર ગામે રહેતા અને છેલ્લા આઠ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવતા કારડીયા રાજપૂત સમાજના યુવાન દિલીપસિંહ વિરસંગભાઇ ડોડીયા (ઉ.વ.૨૮) જમ્મુ કાશ્મીરનાં અખનુર સેકટરમાં ફરજ બજાવતા દરમ્યાન શહિદ થયા હતા. આ સમાચાર મળતા તેમના વતન કાનપર ગામમાં તથા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. શહિદ જવાન દિલીપસિંહના પાર્થિવ દેહને તેમનાં વતન લવાશે અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમ વિધી કરવામાં આવશે.
શહિદ જવાન દિલીપસિંહ ડોડીયા છેલ્લા આઠ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવે છે. હાલ અખનુર સેકટરમાં ફરજ બજાવતા હતા. તેમના કાકા પણ આર્મીમાં હતા અને શહિદ થયા હતા. દિલીપસિંહને સંતાનમાં ચાર વર્ષની એક દિકરી છે. તેઓ ત્રણ બહેનોનં એકના એક ભાઇ હતા. તેમની શહીદીથી પરિવારમાં શોક છવાયો છે.
વીર શહીદ જવાન ની અંતિમયાત્રા તારીખ 12.07.2019 ને શુક્રવાર ના રોજ સવારે 8 કલાકે તેમની જન્મભૂમિ કાનપર ખાતે રાખેલ છે*
*
*આ અશ્રુભીની વિદાયમાં સૌ જોડાઈએ અને તેમના પરિવાર પર આવી પડેલ દુખદ ક્ષણ ના સહભાગી થઈએ*