News of Tuesday, 11th June 2019
માલેગાંવ બ્લાસ્ટની આરોપીને ટીકીટ આપવી લોકતંત્ર પર હુમલો : પ્રજ્ઞાને લઇ શરદ પવારની સટાસટી
એનસીપી પ્રમુખ શરદ પવારએ ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાને લઇ કહ્યું છે કે એક રાજનીતિક પાર્ટી દ્વારા માલેગાંવ ધમાકાની આરોપીને ટિકીટ આપવી વ્યાજબી નથી. અને આ લોકતંત્ર પર હુમલો છે. એમણે કહ્યું કે સંસદના સંયુકત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમ્યાન પ્રજ્ઞા જેવા લોકો પણ હોય છે. જેમના વિરૂદ્ધ ગંભીર મામલો છે.
(10:55 pm IST)