મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

પાકિસ્તાન નાદારીના આરે : સરકાર ચલાવવા પૈસા નથી

તમામ પાકિસ્તાનીઓને ૩૦ જૂન સુધીમાં સંપતિ જાહેર કરવા અલ્ટીમેટમ : ઈમરાન ખાન

નવી દિલ્હી : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે.

ઇમરાન ખાને બધા પાકિસ્તાનીઓને કહ્યું કે ૩૦ જૂન સુધી પોતાની સંપત્ત્િ।ઓ જાહેર કરે, જેથી કાયદેસર અને ગેરકાયદેસર સંપત્ત્િ।ની ખબર પડે.

વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ૩૦ જૂન સુધી પોતાની સંપત્ત્િ।, બેનામી બેન્ક એકાઉન્ટ, વિદેશોમાં રાખેલા પૈસાને સાર્વજનિક કરે, કેમ કે ૩૦ જૂન બાદ કોઈ મોકો નહીં મળે.

પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, ગત ૧૦ વર્ષમાં પાકિસ્તાનનું દેવું છ હજાર અબજથી વધીને ૩૦ હજાર અજબ રૂપિયા સુધી પહોંચ્યું છે. આપણે જે વાર્ષિક ચાર હજાર અબજ રૂપિયાનો ટેકસ એકત્ર કરીએ છીએ તેનાથી અડધી રકમ દેવાંના હપ્તા ભરવામાં જાય છે.

બાકી વધેલા પૈસાથી દેશનો ખર્ચ નીકળી શકે તેમ નથી. પાકિસ્તાનીઓ દુનિયાભરમાં સૌથી ઓછો ટેકસ ભરે છે, પરંતુ એવા કેટલાક પ્રાંતમાં તેનો સમાવેશ થાય છે જે સૌથી વધુ ખેરાતનો બોજ ધરાવે છે. જો આપણે તૈયારી થઈ જઈએ તો દર વર્ષે ઓછામાં ઓછા ૧૦ હજાર અબજ રૂપિયા એકત્ર કરી શકીએ છીએ.

પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું હતું કે, તમને અપીલ કરું છું કે સંપત્ત્િ। જાહેર કરવાની જે યોજના લાવ્યો છું તેમાં તમે સૌ સામેલ થઈ જાવ. આપણે જાતને બદલવી પડશે. અલ્લાહ કુરાનમાં કહે છે કે આપણે કોઈ કોમની હાલત ન બદલી શકીએ, જયાં સુધી એ કોમ પોતાની હાલત બદલવા માટે તૈયાર ન હોય.

બેનામી સંપત્ત્િ। સાર્વજનિક કરવા માટે તમારી પાસે ૩૦ જૂન સુધીનો સમય છે. અમારી સરકાર પાસે જે માહિતી છે એ પહેલાંની કોઈ સરકાર પાસે નહોતી. વિદેશમાં પાકિસ્તાનીઓની સંપત્ત્િ। અને બેન્ક એકાઉન્ટની માહિતી મારી પાસે છે.

ઇમરાન ખાને કહ્યું, અમારી એજન્સીઓ સતત એ બાબતે કામ કરી રહી છે અને તેમની પાસે સંપૂર્ણ માહિતી છે. કોની પાસે કેટલી સંપત્ત્િ। છે એ મને ખબર છે. તમારી પાસે ૩૦ જૂન સુધીનો સમય છે અને તેનો ફાયદો ઉઠાવી લો.

ઇમરાન ખાનની સરકાર ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહી છે.

પાકિસ્તાન મંગળવારે ત્રણ ટ્રિલિયન રૂપિયાના નુકસાનનું બજેટ રજૂ કરશે, જયારે અગાઉનું બજેટ ૧.૮ ટ્રિલિયન રૂપિયા હતું.

વિશેષજ્ઞોનું માનવું છે કે ઇમરાન ખાન પર આઈએમએફનું દબાણ છે કે તેઓ ટેકસ કલેકશન વધારે અને તેના કારણે ઇમરાન ખાને સોમવારે પોતાના નાગરિકોને ૩૦ જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.

પાકિસ્તાન આઈએમએફ પાસેથી છ અબજ ડોલરનું કરજ લઈ રહ્યું છે અને એ કરજની અવેજીમાં ઇમરાન ખાનની સરકારે વાયદો કર્યો છે કે તેઓ તેમની શરતોને આધારે દેશની આર્થિક નીતિઓને આગળ ધપાવશે.

પાકિસ્તાન પર દબાણ છે કે તે આગામી ૧૨ મહિનામાં ૭૦૦ અબજ રૂપિયાનું ફંડ એકત્રિત કરે.

આઈએમએફે પાકિસ્તાનને ખર્ચમાં ઘટાડો કરવા અને ટેકસમાં વધારો કરવા માટે કહ્યું છે. પાકિસ્તાનનું બજેટ આ મામલે ઐતિહાસિક થવાનું છે, કેમ કે તેનાથી તેના ભવિષ્યનો રસ્તો નક્કી થશે.

આર્થિક સંકટની સાથે પાકિસ્તાનમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ પણ વધુ પહોળી થઈ છે.

કરાચી, લાહોર અને ઇસ્લામાબાદની બજારને લઈને પણ પાકિસ્તાનની વિષમતાને સમજી શકાય છે. હાલનાં વર્ષોમાં આ શહેરોમાં આઙ્ખટોમોબાઇલના સારી બ્રાન્ડના બધા જ સ્ટોર ખોલવામાં આવ્યા હતા. પણ સ્થિતિ એવી થઈ કે મોટા ભાગના લોકોને બે ટંકના ભોજન માટે સંદ્યર્ષ કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનની ગત મુસ્લિમ લીગ સરકારે પોતાના આર્થિક સર્વેમાં દર્શાવ્યું હતું કે કેવી રીતે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.

ઇમરાન ખાને પોતાના ચૂંટણીપ્રચારમાં કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન બન્યા બાદ આપદ્યાત કરવાનું પસંદ કરશે, પરંતુ દેવું નહીં કરે.

ઇમરાન ખાન વડા પ્રધાન પણ બની ગયા પણ તેઓને કરજ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી મળ્યો.

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. હાલમાં ભારતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અંદાજે સાત અબજ ડોલરનો ખર્ચ થયો હતો. જયારે પાકિસ્તાન પાસે ખૂબ ઓછો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. નિકાસ ન બરાબર થઈ ગઈ છે અને મોંઘવારી સતત વધી રહી છે.

રાજસ્વ ખોટ આસમાને પહોંચી છે, તો ચુકવણીનું સંતુલન પણ પાટા પરથી ઊતરી ગયું છે. કરજને બદલે આપદ્યાતની વાત કરનારા ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના શરણે જવું પડ્યું.

આઈએમએફ પાસેથી લીધેલું પાકિસ્તાનનું આ ૨૨મું કરજ છે. પાકિસ્તાનના કુલ ખર્ચનો ૩૦.૭ ટકા ભાગ દેવાના હપ્તા ચૂકવવામાં જાય છે.

પાકિસ્તાનનો ખર્ચ આયાત પર સતત વધી રહ્યો છે, પરંતુ નિકાસમાંથી કંઈ જ મળતું નથી. પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ નહીં સુધારે તો દેવાળિયા થવાનો ખતરો વધી જશે.

૨૦૧૫માં પાકિસ્તાનનું કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ૨.૭ અબજ ડોલર હતું, જે ૨૦૧૮માં વધીને ૧૮.૨ અબજ ડોલર થઈ ગયું.

કરન્ટ એકાઉન્ટ ડેફિસિટને કારણે પાકિસ્તાનની વેપાર ખોટ સતત વધી રહી છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઆઈસી)ને કારણે પાકિસ્તાનની આયાત સતત વધી છે.

પીઈસી ચીનની મહત્ત્વાકાંક્ષી પરિયોજના વન બેલ્ટ વન રોડનો ભાગ છે, જેના કારણે તેણે પાકિસ્તાનમાં અંદાજે ૬૦ અબજ ડાઙ્ખલરનું રોકાણ કર્યું છે.

૨૦૧૮માં જૂન મહિનાના અંતમાં પાકિસ્તાનનું કુલ સરકારી દેવું ૧૭૯.૮ અબજ ડોલર થઈ ગયું હતું. ૨૫ અબજ ડોલર તો માત્ર એક વર્ષમાં વધુ ગયું. પાકિસ્તાની મુદ્રા રૂપિયાની કિંમત પણ અમેરિકન ડોલરની તુલનામાં સતત ગબડી રહી છે. તેના કારણે પણ પાકિસ્તાનનું સરકારી દેવું વધ્યું છે.

પાકિસ્તાન પર વિદેશી દેવું સતત વધી રહ્યું છે. જૂન ૨૦૧૮માં પાકિસ્તાન પર વિદેશી દેવું ૬૪.૧ અબજ ડોલર હતું, જે જાન્યુઆરી ૨૦૧૯માં વધીને ૬૫.૮ અબજ ડોલર થઈ ગયું. મોંઘવારીનો દર ૯.૪ ટકાથી પાર થઈ ગયો છે.

આ દર ગત પાંચ વર્ષમાં સૌથી ઊંચાઈ પર છે. રૂપિયો ગબડતા પાકિસ્તાનનું આયાત બિલ વધી રહ્યું છે.

પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતા અને રાજકીય અસ્થિરતાને કારણે વિદેશી રોકાણ પણ ન બરાબર થઈ ગયું છે.

૨૦૧૮માં પાકિસ્તાનના જીડીપીમાં ટેકસનું યોગદાન માત્ર ૧૩ ટકા હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનના રાજસ્વમાં ઘટાડો થયો છે, જયારે ખર્ચ સતત વધી રહ્યો છે.

ઇમરાન ખાન અગાઉની સરકારો પણ પાકિસ્તાનની નિકાસ વધારવામાં નિષ્ફળ રહી હતી. વર્લ્ડ બેન્કનું કહેવું છે કે કુશાસનને કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે.

(4:17 pm IST)